.jpg)
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો છે અને ફરી એકવાર કમળ ખીલ્યું છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જીત અપાવી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપાવી એ વિશે ચર્ચા શરૂ થઇ છે.
આમ તો સી આર પાટીલ હજુ સુધી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જ છે, પરંતુ તેમને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકેની જવાબદારી મળવાને કારણે તેમનો ગુજરાતમાં રસ ઓછો થઇ ગયો હતો. તેમણે પોતે એવું કહ્યું હતું કે, મેં હાઇકમાન્ડને રજૂઆત કરી છે કે, હવે મને ગુજરાતમાંથી મૂક્ત કરો.
આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહામંત્રી રજની પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, સી આર પાટીલે તેમને સતત માર્ગદર્શન આપ્યું હતું.
No comments:
Post a Comment