PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ખાસ લોકોને આમંત્રણ અપાયું, આવું પહેલી વાર બન્યું! - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Friday, June 7, 2024

PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ખાસ લોકોને આમંત્રણ અપાયું, આવું પહેલી વાર બન્યું!

 

PC: indiatv.in

PM નરેન્દ્ર મોદી 9 જૂને સતત ત્રીજી વખત ભારતના PM તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. મીડિયા સૂત્રો પાસથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, દેશના પ્રથમ PM જવાહરલાલ નેહરુ પછી આવું કરનાર તેઓ પ્રથમ PM બનશે. તેમના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમંત્રિતોની યાદીમાં સેંકડો સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ફિલ્મ જગત, રમત જગત અને દેશના જાણીતા ઉદ્યોગપતિઓને પણ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો પછી તમામની નજર NDA પાર્ટીઓ પર ટકેલી હતી. ક્યાંક CM નીતીશ કુમારની બેઠકોની ચર્ચા હતી. તો ક્યાંક ચંદ્રબાબુ નાયડુ. પરંતુ 5 જૂને NDAની બેઠક બાદ PM નરેન્દ્ર મોદીના PM બનવાનો માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ ક્રમમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ 9 જૂન રવિવારે શપથ લેશે. પરંતુ આ વખતે શપથ ગ્રહણ સમારોહમાં એવા કેટલાક મહેમાનોને આમંત્રિત કરવાની પણ ચર્ચા છે, જે અગાઉ ક્યારેય બન્યું નથી!

સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, "PM દરેક વ્યક્તિના યોગદાનને માન આપવા માટે જાણીતા છે જેઓ એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં સામેલ છે. એ દિવસો ગયા જ્યારે આમંત્રણ કાર્ડ ફક્ત VIP અને VVIPને જ મોકલવામાં આવતા હતા. અમારા PM તે લોકો VIP મહેમાનો તરીકે માને છે, જેમને ક્યારેય તેમનું યોગ્ય કે મહત્વ મળતું નથી.'

મીડિયા સાથે જોડાયેલા એક સૂત્રના રિપોર્ટ અનુસાર, PM નરેન્દ્ર મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના રાજનેતાઓ તો આવી જ રહ્યા છે. પરંતુ આ વખતે કેટલાક ખાસ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવશે. જેમાં સમાવેશ થાય છે...

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરતા કામદારો, વંદે ભારત અને મેટ્રોમાં કામ કરતા રેલવે કર્મચારીઓ, ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો, જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા લોકો અને સફાઈ કામદારો, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ, વિક્સિત ભારતના એમ્બેસેડર.

મીડિયા અહેવાલો અનુસાર, 9 જૂને યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં આઠ હજારથી વધુ રાજનેતાઓ અને મહેમાનો આવવાની અપેક્ષા છે. આ સમારોહમાં બાંગ્લાદેશના PM શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને નેપાળના PM પુષ્પકમલ દહલ પણ હાજરી આપવાના હોવાનું કહેવાય છે.

ચૂંટણીના પરિણામો જાહેર થયા પછીથી વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષોએ પણ તેમના અભિનંદન સંદેશ મોકલ્યા હતા. જેમાં બાંગ્લાદેશના PM શેખ હસીના, ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સહિત અનેક દેશોના નેતાઓ સામેલ હતા.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મુજબ સુરક્ષાને લઈને ઘણી બેઠકો થઈ છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીફ અને ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક પણ સમારોહમાં હાજરી આપવાના છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond