નર્મદા જિલ્લામાં અમીર રોકાણકારો માટે સરકારની લાલ જાજમ જ્યારે સ્થાનિકોને હવાતિયા - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, October 21, 2023

નર્મદા જિલ્લામાં અમીર રોકાણકારો માટે સરકારની લાલ જાજમ જ્યારે સ્થાનિકોને હવાતિયા

 

નર્મદા જિલ્લામાં અમીર રોકાણકારો માટે સરકારની લાલ જાજમ જ્યારે સ્થાનિકોને હવાતિયા

જમીન એન. એ માટે ઇકો સેન્સિટીવ ઝોનના સર્ટિફિકેટ મેળવવા એક એક વર્ષનો લાગતો સમય

રાજપીપળા : નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ વિસ્તારોમાં રોકાણકારોને આકર્ષિત કરવા માટે સરકારે લાલ જાંઝમ પાથરી છે, તમામ પ્રકારની નાણાકીય રાહતો સહિત જમીનોની ફાળવણી પણ સરકાર તરફથી કરવામાં આવી રહી છે, સરકાર અનેક પ્રકારની લ્હાણી કરી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સ્થાનિક લોકો કે જેઓ ધંધા રોજગાર કરવા માટે પોતાની જમીનોને બિન ખેતીની એટલે કે એન.એ. કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરે છે તેમને પરવાનગી મેળવવા માટે લોખંડનાં ચણા ચાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના કેટલાક વિસ્તારને ઇકો સેન્સિટીવ ઝોન તરીકે જાહેર કરેલો હોય ને વન અને પર્યાવરણ વિભાગ નો ઈકો સેન્સિટીવ ઝોન ક્લિયરન્સ નો સર્ટિફિકેટ મેળવવાનો ફરજિયાત બનાવેલ છે ત્યારે આ દાખલો કઢાવવા માટે નર્મદા જિલ્લાના સ્થાનિકો એક એક વર્ષથી એપ્લિકેશનો કરીને બેઠા છે પરંતુ તેમની એપ્લિકેશનો હજુ સુધી મંજૂર થતી નથી અને ભારે વિલંબ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ જ્યારે સરકાર વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તત્પરતા દાખવી રહી છે ત્યારે વન વિભાગની કચેરીઓ દ્વારા ઈકો સેન્સેટીવ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવામાં એક એક વર્ષ જેટલો લાંબો સમય લેવામાં આવતા સ્થાનિક લોકો ભારે મૂંઝવણ અને વિમાસણમાં મુકાઈ રહ્યા છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond