![]()
પ્રતિ,
શ્રી. ભુપેન્દ્રભાઈ પટેલ જી,
માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય,
માનનીય મુખ્યમંત્રી શ્રી કાર્યાલય,
સ્વર્ણિમ સંકુલ ૧, નવા સચિવાલય
ગાંધીનગર ૩૮૨ ૦૧૦
E-mail: osd2cm@gmail.com, તા.: ૨૫/૦૩/૨૦૨૨
વિષય: ભરૂચ,વડોદરા અને નર્મદા જીલ્લા માં નર્મદા નદી પટ માં આવેલ ગેર કાયદેસર પુલિયા તાત્કાલિક ધોરણે તોડવા બાબત
મેં.
સવિનય ઉપરોક્ત વિષય અનુંધાને જણાવવાનું કે ભરૂચ,વડોદરા અને નર્મદા જીલ્લામાં નર્મદા નદી પટ માં ઢગલેબંધ પુલિયા બનાવી ને અવેધ રીતે ખનીજ નું ગેર કાયદેસર વહન કરવામાં આવી રહેલ છે, જેના કારણે સરકાર ને મબલક નુંક્ષાન થઇ રહેલ છે. તેમજ નર્મદા નદીના આધારે સ્થાનિક લોકો જે માછી મારી કરીને તેમજ જેલોકો પોતાની ગાય – ભેસ અને પશુ પાલવીને પોતાનો પરિવાર ચલાવી રહ્યા છે તેવા લોકો પર પહાડ ની જેમ આ ખનીજ માફિયા ના કારણે આફત આવી છે. સાથો સાથ પર્યાવરણ ને પણ ખુબજ મોટા પ્રમાણ માં નુંક્ષાન થઇ રહેલ છે. જેમાં મુખ્યત્વે મારા મત વિસ્તાર માં આવતા મુલદ, ઝગડિયા, કબીરવડ, પોરા, ભાલોદ, તરસાલી, રુંઢ, પાણેથા વગેરે છે. જેથી તાત્કાલી ધોરણે ભરૂચ,વડોદરા અને નર્મદા જીલ્લા માં નર્મદા નદીમાં આવેલ ગેર કાયદેસર પુલિયા તોડવામાં આવે તેવી અમારી રજૂઆત છે.
આપના આભારી ,
શ્રી. છોટુભાઈ એ. વસાવા
ધારાસભ્ય શ્રી ઝઘડિયા વિધાન સભા
No comments:
Post a Comment