કસ્ટડીમાં છે કે ધરપકડ કરી? આરોપો વિશે જણાવીને પટના પોલીસે બતાવી ખાન સરની સ્થિતિ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Friday, December 6, 2024

કસ્ટડીમાં છે કે ધરપકડ કરી? આરોપો વિશે જણાવીને પટના પોલીસે બતાવી ખાન સરની સ્થિતિ

 

PC: x.com

સોશિયલ મીડિયા પર પોતાની અલગ ઓળખ ધરાવતા ખાન સર વિરુદ્ધ તેમના ટ્વિટર હેન્ડલ 'ખાન ગ્લોબલ સ્ટડી' પર બનાવટી પોસ્ટ મૂકીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા બદલ FIR નોંધવામાં આવી છે. પટના પોલીસે ખાન સરની સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી આપી છે.

SDPO સચિવાલયના ડો. અન્નુ કુમારે પુષ્ટિ કરી છે કે, ખાન સરની ધરપકડ કરવામાં આવી નથી. ગઈકાલે, ગર્દાનીબાગ પોલીસે ખાન સરને તેમની વિનંતી પર અટલ પથ પર તેમની કાર પાસે છોડી દીધા હતા. અહીં તમને જણાવી દઈએ કે, FIR પછી એવી ચર્ચા ચાલી રહી હતી કે, ખાન સરની ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરે, બિહારમાં 70મી BPSC પ્રિલિમિનરી પરીક્ષાના નિયમોમાં ફેરફારને લઈને વિદ્યાર્થીઓ સાથે વિરોધ કરી રહેલા પ્રખ્યાત શિક્ષક ખાન સરને પોલીસે કસ્ટડીમાં લીધાના સમાચાર આવ્યા હતા. 13મી ડિસેમ્બરે યોજાનારી BPSC પ્રિલિમિનરી પરીક્ષાના નિયમોમાં ફેરફારને લઈને રાજધાની પટનામાં BPSC ઓફિસની બહાર સેંકડો ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શુક્રવારે દિવસ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો.

મોડી સાંજે વિદ્યાર્થીઓ સાથે વિરોધ કર્યા પછી પોલીસે ખાન સરની અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જો કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનના ગેટની બહાર એકઠા થયા હતા અને તેમને છોડી મુકવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થીઓ એકઠા થયા પછી પોલીસે તેમને છોડી દીધા.

જો કે, ઉમેદવારોના આંદોલનને જોતા બિહાર પબ્લિક સર્વિસ કમિશને પણ પરીક્ષાને લઈને સ્પષ્ટતા જારી કરી છે. કમિશન વતી એવું કહેવામાં આવ્યું છે કે, 13મી ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં નોર્મલાઇઝેશન પ્રક્રિયાને અપનાવવા સંબંધિત ભ્રામક સમાચાર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવી રહ્યા છે. સામાન્યકરણને અપનાવવા અંગે કોઈ દરખાસ્ત હતી જ નહીં, ત્યારે સામાન્યીકરણની પ્રક્રિયાને અપનાવવા અંગેના ભ્રામક સમાચાર કેવી રીતે પેદા થયા તે અંગે કમિશન ચોંકી ઉઠ્યું છે.

ઉમેદવારોને ગેરમાર્ગે દોરવાના હેતુથી કોચિંગ ઓપરેટરો અને સ્થાનિક વિદ્યાર્થી નેતાઓ દ્વારા આ પરીક્ષામાં સામાન્યકરણની પ્રક્રિયા અપનાવવા અંગેની કાલ્પનિક અફવા ફેલાવવામાં આવી છે. આ સંદર્ભમાં, સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, 70મી BPSCની પ્રારંભિક પરીક્ષા માટે પ્રકાશિત જાહેરાતના કોઈપણ વિભાગમાં, આ પરીક્ષા માટે સામાન્યકરણ અપનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને તે પછી આયોજિત કરવા અંગે કમિશન સ્તરેથી સામાન્યીકરણ પ્રક્રિયા દ્વારા પરીક્ષા કરાવવાની છે, તેવી કોઈ માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી.

કમિશને તેના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે, પરીક્ષા પૂર્વ-નિર્ધારિત તારીખ 13.12.2024 (શુક્રવાર)ના રોજ એક જ પાળીમાં (બપોરે 12:00 થી 02:00 વાગ્યા સુધી) લેવામાં આવશે, જેમાં નોર્મલાઇઝેશન જેવી કોઇ પ્રક્રિયા અપનાવવાનો કોઇ પ્રસ્તાવ નથી.

કમિશન હંમેશા ઉમેદવારોના હિતોને ધ્યાનમાં રાખીને ગેરરીતિમુક્ત રીતે પરીક્ષાઓનું આયોજન કરતું આવ્યું છે, જેના માટે ઘણા જરૂરી સુધારાત્મક પગલાં પણ લેવામાં આવ્યા છે, જેમાં મલ્ટિસેટ પેપરની તૈયારી પણ તેનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેથી કરીને પરીક્ષા એક જ સેટમાં લેવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ અને શાંતિપૂર્વક પરીક્ષામાં ભાગ લેવો જોઈએ.

નોર્મલાઇઝેશન એ એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા પરીક્ષામાં મેળવેલા માર્ક્સ નોર્મલાઇઝેશન થાય છે. આ પ્રક્રિયાને ત્યારે અનુસરવામાં આવે છે, જ્યારે પરીક્ષા એક કરતા વધુ શિફ્ટમાં લેવામાં આવે છે. નોર્મલાઇઝેશનની મદદથી, પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોના ટકાવારીની ગણતરી કરવામાં આવે છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond