ઝારખંડની પ્રથમ પરીક્ષામાં નાપાસ થયા શિવરાજ સિંહ,CM હિમંતાની ફોર્મ્યુલા પણ થઇ ફેલ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, November 23, 2024

ઝારખંડની પ્રથમ પરીક્ષામાં નાપાસ થયા શિવરાજ સિંહ,CM હિમંતાની ફોર્મ્યુલા પણ થઇ ફેલ

 

PC: facebook.com/ChouhanShivraj

કેન્દ્રમાં કૃષિ પ્રધાન બન્યા પછી, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણને રાજ્યના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, જ્યારે આસામના CM હિમંતા બિસ્વા સરમાને તેમના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કેન્દ્રમાં આવ્યા પછી શિવરાજ ચૌહાણ તેમના પ્રથમ કાર્યમાં નિષ્ફળ ગયા છે, જ્યારે CM હિમંતા બિસ્વા સરમાનું હાર્ડકોર હિન્દુત્વ કાર્ડ પણ અહીં કામ નથી કર્યું.

ફરી એકવાર ઝારખંડમાં CM હેમંત સોરેનના નેતૃત્વમાં INDIA ગઠબંધન સરકાર રચાય તેમ લાગે છે. BJP ગઠબંધન વલણોમાં પાછળ રહેતું જોવા મળી રહ્યું છે. જ્યારે INDIA ગઠબંધન બહુમતનો આંકડો પાર કરી ગયો છે. જો CM હેમંત સોરેન રાજ્યમાં ફરી સરકાર બનાવવામાં સફળ થાય છે તો તે તેમના માટે મોટી ઉપલબ્ધિ હશે. પરંતુ BJPએ તેની રણનીતિ પર પુનર્વિચાર કરવો પડશે. જે બે મહત્વના ખભા પર પાર્ટીએ ચૂંટણીની જવાબદારી સોંપી હતી. આ બંને પોતાનો જાદુ બતાવી શક્યા નથી.

કેન્દ્રમાં કૃષિ પ્રધાન બન્યા પછી, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણને રાજ્યના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, જ્યારે આસામના CM હિમંતા બિસ્વા સરમાને તેમના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કેન્દ્રમાં આવ્યા પછી શિવરાજ ચૌહાણ તેમના પ્રથમ કાર્યમાં નિષ્ફળ ગયા છે, જ્યારે CM હિમંતા બિસ્વા સરમાનું હાર્ડ કોર હિન્દુત્વ કાર્ડ પણ અહીં કામ લાગ્યું નથી.

આ ચૂંટણીઓમાં સ્થાનિક નેતાઓને બાજુ પર રાખવાનું BJPને મોંઘુ પડ્યું હતું. શરૂઆતથી જ પક્ષની નેતાગીરીએ સ્થાનિક નેતાઓને સાઈડલાઈન કરીને આ બંને નેતાઓને સમગ્ર જવાબદારી સોંપી દીધી હતી. બંને નેતાઓએ ચૂંટણીની કામગીરી સંભાળ્યા પછી પક્ષમાં રાજકીય હસ્તક્ષેપ શરૂ કરી દીધો હતો. જેને લઈને સ્થાનિક આગેવાનો નારાજ હતા. પાર્ટી હાઈકમાન્ડને વિશ્વાસમાં લઈને બંને નેતાઓએ અન્ય પક્ષોના ઘણા નેતાઓને BJPમાં જોડ્યા, એટલું જ નહીં પરંતુ તેમને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ પણ અપાવી. આ તમામ નિર્ણયોથી સ્થાનિક અને રાજ્ય BJPના નેતાઓને દૂર રાખવામાં આવ્યા હતા. પરંતુ શિસ્તબદ્ધ પક્ષ અને ચૂંટણી નજીક જ હોવાના કારણે, ક્યાંયથી પણ વિરોધનો કોઈ અવાજ સંભળાયો ન હતો.

ઝારખંડ BJPના નેતાઓનું કહેવું છે કે, શિવરાજ સિંહ ચૌહાણ અને CM હિમંતા બિસ્વા સરમાના ઝારખંડ આવવાની પ્રક્રિયા વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ શરૂ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન CM હિમંતાએ રાંચીની હોટલમાં રહેવાને બદલે એક ઘરને પોતાની કેમ્પ ઓફિસ બનાવી લીધી હતી. શિવરાજ ચૌહાણ અને CM હિમંતા બિસ્વા સરમા ટિકિટ વિતરણ, ચૂંટણી પ્રચાર અને અન્ય ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરવામાં પણ અસરકારક હતા. શરૂઆતથી જ BJPના નેતાઓ માની રહ્યા હતા કે, તેઓ જ સરકારમાં આવશે. પરંતુ આ વિશ્વાસ પાર્ટી માટે મોંઘો સાબિત થયો.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના CM હિમંતા બિસ્વા સરમાની રાજનીતિ સાવ અલગ છે. બંનેએ તેમની રાજનીતિ દ્વારા પોતાના રાજ્યોમાં અજાયબીઓ કરી ચુક્યા છે. શિવરાજ ચૌહાણ હિન્દુત્વની સાથે સાથે સોશિયલ એન્જિનિયરિંગ માટે પણ જાણીતા છે. જ્યારે CM હિમંતા બિસ્વા સરમા સખત હિંદુત્વના માર્ગને અનુસરે છે. પરંતુ CM હેમંત સોરેનના આદિવાસી, મુસ્લિમ અને યાદવના સમીકરણે આ બંને નેતાઓના ગુણોને ઢાંકી દીધા. અહીં પણ BJPએ 'બટેગે તો કટેગે'નું સૂત્ર આપ્યું, પરંતુ ધ્રુવીકરણ થયું નહીં. અહીં, 'હિંદુ-મુસ્લિમ' દાવ કરતાં વધુ CM સોરેનની આદિવાસી ઓળખનો દાવ ચાલી ગયો હતો. BJPએ બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો પણ જોરથી ઉઠાવ્યો હતો. પરંતુ CM હેમંત સોરેને BJP પર 'ભાગલા પાડો અને વહેંચી દો'ની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને 'બેટી-માટી-રોટી'નું સૂત્ર આપ્યું હતું, જેણે ચૂંટણીમાં અસરકારક કામ કર્યું.

આ બે દિગ્ગજ નેતાઓને ઝારખંડની જવાબદારી આપીને BJP એ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે હવે પાર્ટી બદલાઈ રહી છે. પાર્ટી હિન્દુત્વના મુખ્ય એજન્ડામાં સોશિયલ એન્જિનિયરિંગનું મિશ્રણ ઇચ્છે છે. પાર્ટી આ બંનેને સાથે લઈને ચૂંટણી જીતવા માંગે છે. મધ્યપ્રદેશથી લઈને હરિયાણા સુધી BJPની આ ફોર્મ્યુલા સફળ રહી છે. તેથી ઝારખંડમાં પણ તેને લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન, આસામના CM હિમંતા બિસ્વા સરમા પાયાના મુદ્દાઓ સિવાય મુખ્ય હિન્દુત્વ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે. એટલું જ નહીં, CM હિમંતાએ 'બટેગે તો કટેગે'ના સૂત્ર પર પણ ભાર મૂક્યો છે. જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ પોતાની રેલીઓમાં હિન્દુત્વની વાતો કરતા હતા. પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ એન્જિનિયરિંગને પણ આગળ ધપાવવામાં આવ્યું. તેઓ મધ્યપ્રદેશની જેમ ઝારખંડમાં પણ ગોગો દીદી યોજનાની વાત કરતા હતા. જે અંતર્ગત બહેનોને દર મહિને 2000 રૂપિયાની રકમ આપવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, ઝારખંડમાં કુલ 81 વિધાનસભા સીટો છે. જેમાં INDIA એલાયન્સને લગભગ 51 સીટો પર સફળતા મળતી દેખાઈ રહી છે. જ્યારે NDA હાલમાં 29 સીટો પર લીડ ધરાવે છે. ઝારખંડમાં સરકાર બનાવવા માટે 41 સીટોની જરૂર છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond