રાજ ઠાકરેએ પુત્રની સીટના બદલે 10 સીટ છોડવાની સમજૂતી તોડી,CM શિંદે-BJP ટેન્શનમાં - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Tuesday, November 5, 2024

રાજ ઠાકરેએ પુત્રની સીટના બદલે 10 સીટ છોડવાની સમજૂતી તોડી,CM શિંદે-BJP ટેન્શનમાં

 

PC: facebook.com/RajThackeray

મહારાષ્ટ્રના રાજકારણની દૃષ્ટિએ સોમવારનો દિવસ મહત્ત્વનો હતો. એક તરફ, મહાયુતિ અને મહાવિકાસ આઘાડીએ તેમના તમામ બળવાખોરોને કાબૂમાં લેવામાં સફળતા મેળવી છે, જ્યારે ઘણી જગ્યાએ બળવાખોરો હજુ પણ સક્રિય છે. આ સિવાય રાજ ઠાકરે અને મહાયુતિ વચ્ચે કોઈ મોટી સમજૂતી થાય તેવું લાગતું હતું, પરંતુ તે પણ છેલ્લી ઘડીએ તૂટી ગયું. હકીકતમાં MNS ચીફ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ માહિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે ચૂંટણી લડનાર CM એકનાથ શિંદે શિવસેનાના સદા સરવણકરને ચૂંટણી હરીફાઈમાંથી હટાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા.

આ માટે રાજ ઠાકરે અને CM એકનાથ શિંદે અને BJP વચ્ચે ડીલ પણ થઈ હતી. CM એકનાથ શિંદે સેના માહિમ સીટ પર અજિત ઠાકરેને વોકઓવર આપશે અને તેના બદલામાં MNS 10 સીટો પરથી પોતાના ઉમેદવારો પાછા ખેંચશે તેવી સંમતિ હતી. આ સોદા માટે સરવણકરને મનાવવા માટે CM એકનાથ શિંદે પોતે હંમેશા સક્રિય હતા. 15 વર્ષથી ધારાસભ્ય રહેલા સદા સરવણકર શરૂઆતમાં તૈયાર નહોતા અને તેમણે એક ભાવનાત્મક પોસ્ટ લખી કે, જો બાળાસાહેબ ઠાકરે હોત તો તેમણે સાચા શિવસૈનિકને પરિવાર માટે બલિદાન આપવાનું કહ્યું ન હોત.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ માટે CM એકનાથ શિંદેએ જ તેમને મનાવી લીધા હતા. તેમને વચન આપવામાં આવ્યું હતું કે, જો પાર્ટી જીતશે તો તેમને વિધાન પરિષદમાં મોકલવામાં આવશે અને તેઓ સરકારમાં મંત્રી પણ બનશે. આ રીતે, તેઓ અંતિમ દિવસે સંમત થયા અને નામાંકન પાછું ખેંચવા તેમને મળવા રાજ ઠાકરેના ઘર 'શિવતીર્થ' ગયા. પરંતુ રાજ ઠાકરેએ લાંબી રાહ જોવડાવ્યા પછી પણ તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. હવે સદા સરવણકર કહે છે કે, રાજ ઠાકરેએ મને મળવાની જ ના પાડી હતી. તેથી હું ખુશ નથી. આ રીતે હવે માહિમમાં અમિત ઠાકરે, સદા સરવણકર અને ઉદ્ધવ સેનાના મહેશ સાવંત વચ્ચે ત્રિપલ લડાઈની સ્થિતિ બની છે.

એટલું જ નહીં, હવે 10 બેઠકો પરથી ઉમેદવારો પાછા ખેંચવાની MNSની યોજના પણ ખોરવાઈ ગઈ છે. આ રીતે મુંબઈ ક્ષેત્રની 10 બેઠકો પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉમેદવારો યથાવત રહેશે અને આના કારણે મહાયુતિને સીધું નુકસાન માનવામાં આવી રહ્યું છે. હકીકતમાં એવું માનવામાં આવે છે કે, રાજ ઠાકરે માહિમ સીટ પરથી ઉમેદવારને પરત ખેંચવામાં વિલંબને લઈને ગુસ્સે થયા હતા. આ સિવાય તેમને એમ પણ લાગ્યું કે એકની જગ્યાએ 10 સીટો છોડવાના નિર્ણયથી ખોટો સંદેશ જશે. એવો સંદેશો જશે કે, રાજ ઠાકરેએ તેમના પુત્રની જીત સુનિશ્ચિત કરવા માટે સમાધાન કર્યું છે. આવી સ્થિતિમાં તેમણે છેલ્લી ઘડીએ કરાર જ તોડી નાખ્યો.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond