મુઝફ્ફરપુરથી મુઝફ્ફરાબાદ સુધી સંદેશ,PM મોદી-શાહની PoK યોજનાથી પાકિસ્તાન કંપી જશે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Tuesday, May 14, 2024

મુઝફ્ફરપુરથી મુઝફ્ફરાબાદ સુધી સંદેશ,PM મોદી-શાહની PoK યોજનાથી પાકિસ્તાન કંપી જશે

 

PC: livehindustan.com

PM નરેન્દ્ર મોદીએ સોમવારે મુઝફ્ફરપુરથી ઈસ્લામાબાદને આડકતરી રીતે સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, જો પાકિસ્તાને બંગડીઓ નહીં પહેરી હોય તો ભારત તેમને પહેરાવી દેશે. POK અને તેની રાજધાની મુઝફ્ફરાબાદમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે સ્થિતિ વણસી રહી છે, તેને જોતા PM મોદીનું આ નિવેદન ઘણું મહત્વનું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK છેલ્લા કેટલાક દિવસોથી ઉકળે છે. પાકિસ્તાન POKને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી અને ત્યાંના લોકો પરેશાન છે. આ જ કારણ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી POKના નારાજ લોકો મોંઘવારી, વધતા વીજળીના બિલ અને ટેક્સના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાજધાની મુઝફ્ફરાબાદમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને બંગડીઓ પહેરાવવાનું PM મોદીનું નિવેદન અને POKને લઈને અમિત શાહ-રાજનાથ સિંહના નિવેદનો ભારતની આગામી યોજના તરફ ઈશારો કરી રહ્યા છે, જે જાણીને પાકિસ્તાન પણ કંપી જશે.

હકીકતમાં, ભારત શરૂઆતથી જ દાવો કરતું આવ્યું છે કે, POK ભારતનો એક ભાગ છે અને તે તેને પાછો લઈ લેશે. PM મોદી સરકારના તમામ ટોચના પ્રધાનો, પછી તે અમિત શાહ હોય કે રાજનાથ સિંહ, સતત PoK પર દાવો કરી રહ્યા છે અને તેમના નિવેદનો દ્વારા મુઝફ્ફરાબાદના લોકોને સંદેશો આપી રહ્યા છે. તેમનો દાવો છે કે, બળજબરીથી PoK હસ્તગત કરવાની કોઈ જરૂર નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં જે રીતે સમૃદ્ધિ પાછી આવી છે, તે જોઈને PoKના લોકો પોતે જ ભારતમાં જોડાવાની માંગ કરવા લાગશે. જો કે તેના ચિહ્નો પણ દેખાવા લાગ્યા છે. POKમાં સરકાર વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા છે. POKને ભારતમાં સામેલ કરવાની સતત માગણી થઈ રહી છે. આવી સ્થિતિમાં PM મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને જયશંકરના નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાના તાજેતરના નિવેદન તરફ ઈશારો કરતા PM મોદીએ બિહારના મુઝફ્ફરપુરમાં એક જનસભામાં કહ્યું કે, 'INDIA' ગઠબંધનના નેતાઓ તરફથી કેવા પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. આ લોકો એટલા ડરી ગયા છે કે, તેઓ રાત્રે સપનામાં પણ પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ જુએ છે. એવું કહેવાય છે કે પાકિસ્તાને બંગડીઓ પહેરી નથી. અરે ભાઈ અમે તેને પહેરાવી દઈશું. તેમને લોટ પણ જોઈએ છે, વીજળી નથી. હવે અમને ખબર ન હતી કે તેમની પાસે બંગડીઓ પણ નથી.' અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM અબ્દુલ્લાએ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના દાવાના જવાબમાં ટિપ્પણી કરી હતી કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના લોકો. ભારતનો ભાગ બનવા માંગે છે.

અમિત શાહ સતત કહેતા રહ્યા છે કે, PoK ભારતનો ભાગ છે અને ભારત તેને પાછું લઈને રહેશે. ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે રવિવારે કહ્યું કે, કોંગ્રેસ ઇચ્છે છે કે અમે પાકિસ્તાનનું સન્માન કરીએ, પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતનો ભાગ છે અને અમે તેને પાછું લઈશું. તેણે કહ્યું, 'શું PoK પાછું ન લેવું જોઈએ? કોંગ્રેસે વર્ષો સુધી કાશ્મીર સાથે એક ગેરકાયદેસર બાળક જેવું વર્તન કર્યું, પરંતુ અમે કલમ 370 નાબૂદ કરી, ત્યાં આતંકવાદનો અંત લાવ્યો અને અમારી સરહદો સુરક્ષિત કરી. ત્યાં સુધી કે, એક બાળક પણ કાશ્મીર માટે ખુશીથી પોતાનો જીવ આપી દેશે.'

તાજેતરમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં, પરંતુ તેને બળથી લેવાની જરૂર રહેશે નહીં, કારણ કે તેના લોકો પોતે કાશ્મીરમાં વિકાસ જોયા પછી પોતે તેમાં જોડાવાની માંગે કરશે. રાજનાથ સિંહે કહ્યું હતું કે, 'જમ્મુ-કાશ્મીરમાં જે રીતે જમીની સ્થિતિ બદલાઈ છે, જે રીતે આ ક્ષેત્રમાં આર્થિક પ્રગતિ થઈ રહી છે અને જે રીતે શાંતિ પાછી આવી છે, મને લાગે છે કે PoKના લોકો પોતે જ આની માંગ કરવા લાગશે, કે અમને ભારતમાં સામેલ કરવામાં આવે.' દરમિયાન, મુઝફ્ફરાબાદમાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ વચ્ચે, વિદેશ મંત્રી S. જયશંકરે કહ્યું, 'POK ભારતનું હતું, છે અને રહેશે. એક દિવસ આપણે પાકિસ્તાનનો કબજો ખતમ કરીશું અને PoK ભારતમાં જોડાઈ જશે.'

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK છેલ્લા કેટલાક દિવસોથી ઉકળે છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ઘઉંના લોટના ઊંચા ભાવ, વીજળી અને ઊંચા ટેક્સના વિરોધમાં POKમાં સતત કેટલાય દિવસોથી હડતાળ ચાલી રહી છે. સંપૂર્ણ હડતાલને કારણે વિસ્તારમાં અશાંતિ વધી છે. PoKમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, પોલીસ અને લોકો આમને-સામને છે. લોકો ભારતમાં જોડાવા માટે વિનંતી કરી રહ્યા છે. શનિવારે પોલીસ અને માનવાધિકાર કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. POKમાં સંપૂર્ણ હડતાલને કારણે જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે અને લોકોનો ગુસ્સો ચરમસીમાએ છે. આ સ્થિતિ જોઈને પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ ખુદ ટેન્શનમાં છે. એટલા માટે તેમણે સોમવારે વિરોધીઓ અને પ્રાદેશિક સરકાર વચ્ચેના મડાગાંઠના અંત પછી પ્રદેશ માટે 23 અબજ રૂપિયાની તાત્કાલિક જોગવાઈને મંજૂરી આપી. POKની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક લાંબી રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond