રૂપાલાના નિવેદન પછી ક્ષત્રિય સમાજે જે આંદોલન શરૂ કરેલું છે તેને લગભગ 40 દિવસ થઇ ગયા, પરંતુ ભાજપે રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવ્યા નથી. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે, સમાજના આંદોલન છતા ભાજપ રૂપાલાની સાથે કેમ મજબુતાઇથી ઉભી છે?
રાજકારણના જાણકારોનું કહેવું છે કે, રાજકોટમાં ક્ષત્રિય સમાજના આંદોલન પછી ભાજપે ગેર ક્ષત્રિય સમાજના લોકોને એકજૂટ કરી લીધા છે. ભાજપ એટલા માટે નચિંત છે કારણકે તેમને ખબર છે કે, ક્ષત્રિય સમાજ ચૂંટણીનું પરિણામ નહીં બદલી શકે, હા, ભાજપના વોટ શેરમાં ગાબડાં પાડી શકે, પરંતુ હારનું કારણ ન બની શકે. બીજું કે ક્ષત્રિય સમાજને સૌથી મોટા સમાજ કોળી અને ઠાકોરનું સમર્થન મળ્યું નથી.

No comments:
Post a Comment