ઉત્તર પ્રદેશની નગીના સીટ પર પરિણામ ચોંકાવનારા આવી શકે છે. આ બેઠક પરથી ભીમ આર્મી સેનાના નેતા અને આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે ભાજપના ઓમ કુમાર અને સમાજવાદી પાર્ટીએ નિવૃત જજ મનોજ કુમારને મેદાનમાં ઉતારેલા છે.
નગીના બેઠક પર 19 એપ્રિલે મતદાન થઇ ગયું છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી નગીના બેઠક પરથી પહેલી લોકસભા ચૂંટણી લડેલા. નગીના સીટ એ ઉત્તર પ્રદેશની 17 અનામત સીટોમાંની એક છે અને 2009માં આ સીટ બની હતી.
કુલ 16 લાખ મતદારો છે અને તેમાં 43 ટકા મુસ્લિમ મતદારો છે અને 21 ટકા દલિત છે.ચંદ્રશેખર આઝાદ પોતે વકીલ છે. દલિત આઇકોન તરીકે તેમણે પોતાની જગ્યા બનાવી છે. બસપા છોડ્યા પછી તેમણે પોતાની પાર્ટી બનાવી હતી.

No comments:
Post a Comment