રૂપાલા વિવાદ: રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ વંટોળ,મહારેલીમાં જનસૈલાબ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, April 6, 2024

રૂપાલા વિવાદ: રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ વંટોળ,મહારેલીમાં જનસૈલાબ

 

PC: divyabhaskar.co.in

શનિવારે રાજકોટમાં આકરી ગરમી વચ્ચે ક્ષત્રિય સમાજના વિરોધનો વંટોળ જોવા મળ્યો હતા. ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિરોધમાં જબરદસ્ત મહારેલી નિકળી હતી. ક્ષત્રિય સમાજે રૂપાલા સામે રણશીંગુ ફંકી દીધું છે. રાજકોટના રસ્તા પર જોવા મળેલા જનસૈલાબમાં મહિલાઓ, પુરુષો, વદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીએ રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

ભાજપે આ વખતે પહેલીવાર રાજકોટ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ઉતાર્યા છે અને રૂપાલાએ 23 માર્ચે રાજકોટના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, અંગ્રેજોની સામે રાજા-મહારાજાઓ નમી ગયા હતા અને રોટી-બેટીના વહેવાર કર્યા હતા. આ નિવેદને આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં આગ ચાંપી દીધી હતી.

રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ થયો અને ઠેર ઠેર પ્રદર્શનો થયા. છેલ્લાં 14 દિવસથી રૂપાલા સામે વિરોધનો વંટોળ છે અને ક્ષત્રિય સમાજે રૂપાલા સામે લડી લેવા માટે રણશીંગુ ફુક્યું છે.

ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ બધા પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપવાની ચોખ્ખી ના પાડી રહ્યો છે અને એક જ માંગ કરી રહ્યો છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવો.

ક્ષત્રિય સમાજની કોર કમિટિની શનિવારે રાજકોટમાં સવારે એક બેઠક મળી હતી અને સાંજે 4 વાગ્યે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટના રસ્તા પર જે રેલી નિકળી છે તે જોઇને ભાજપ અને રૂપાલાના પાટીયા બેસી જશે. ક્ષત્રિય સમાજના પુરુષોએ કેસરી સાફા અને મહિલાઓએ કેસરી સાડી પહેરી હતી અને મોટી સંખ્યામાં લોકો રેલીમાં હાજર હતા.

પોલીસ પણ ટેન્શનમાં આ ગઇ છે અને મોટો કાફલો બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. મહારેલી કલેકટર પહોંચીને આવેદન પત્ર આપ્યું હતું.

કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મહિપાલ સિંહ મકરાણાની અમદવાદમાં પોલીસે અટકાત કરી લેવાને કારણે ક્ષત્રિય સમાજ વધારે રોષે ભરાયો છે.

Source:


No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond