'ઘર બનાવવું, બાળકોના લગ્ન અને..', PM મોદીએ બતાવી મધ્યમ વર્ગની 3 જરૂરિયાતો - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, March 25, 2024

'ઘર બનાવવું, બાળકોના લગ્ન અને..', PM મોદીએ બતાવી મધ્યમ વર્ગની 3 જરૂરિયાતો

 

PC: indianexpress.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે, વર્તમાનમાં દેશનો દરેક ગરીબ મોદીની ગેરંટી પર વિશ્વાસ કરે છે. એ તો કંઇ પણ નથી, પર અત્યારે હજુ આગળ જવાનું છે. રાઈઝિંગ ભારત સમિટમાં પહોંચેલા વડાપ્રધાન મોદીએ દેશના મધ્યમ વર્ગને લઈને પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગ મુશ્કેલીઓથી લડીને હવે આગળ આવી ગયો છે. મધ્યમ વર્ગ સામે ટેક્સની જંજાળ હતી. દરેક નાના કામ માટે તેઓ સરકારી ઓફિસની ચક્કર લગાવતા હતા. જીવનના દરેક દાયરામાં સમસ્યા જ સમસ્યા હતી.

પહેલું ઘર બનાવવું, બીજું બાળકોના લગ્ન કરવા અને ત્રીજું એ કે તેમની નોકરી લાગી જાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે લોકો પાસે બેંક ખાતું ખોલવાની ગેરંટી માગવામાં આવી હતી, મોદીએ એ બધા લોકોની ગેરંટી લીધી અને તેના કારણે મુદ્રા યોજના અસ્તિત્વમાં આવી. અમારી પાસે ગરીબ યુવાઓ માટે 30 લાખ કરોડ રૂપિયા છે. આજે મોદીની ગેરંટીનો સકારાત્મક પ્રભાવ છે. તેના માટે કોઈ જાહેરાતની જરૂરિયાત નથી. આ એ ગેરંટી છે, જે મોદીએ ગરીબો પાસેથી લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મધ્યમ વર્ગને ગત સરકારે નજરઅંદાજ કર્યો. છેલ્લા 10 વર્ષોમાં અમે ઘણું બધુ બદલી દીધું છે. આજે 7 લાખની આવક કર મુક્ત છે. પહેલા 2 લાખની આવક કર યોગ્ય હતી. અમે હોમ લોનના વ્યાજ દરો ઓછા કરી દીધા છે. છેલ્લા 10 વર્ષોમાં રોજ 2 નવી કૉલેજ અને દર અઠવાડિયે એક યુનિવર્સિટી બનાવી છે. ગરીબોએ પોતાના ભાગ્યને પ્રભાવિત કર્યું છે અને જીવનના દરેક પગલે મુશ્કેલીઓ સહન કરવી પડી છે. મેં આ જીવન જીવ્યું છે. તેમણે આગળ કહ્યું કે, અમારી દરેક યોજના ગરીબોની જરૂરિયાત પૂરી કરે છે. જેમને કોઈએ ન પૂછ્યા, તેમને મોદીએ પૂજ્યા છે (જેમની કોઈએ ચિંતા ન કરે, એ જ મોદીના પૂજનીય છે).

તેમણે આગળ કહ્યું કે, સરકારી ઓફિસ સેવના કેન્દ્ર બની ગઇ છે. પહેલા ઓફિસ પાવર સેન્ટર બની ગયા હતા. દરેક કામ માટે સરકારી ઓફિસ બની ગઇ. સરકારની વધારે ખરીદી ઓનલાઇન થાય છે. 2G ખરીદ પર કેટલો મોટો કૌભાંડ થયો હતો. સરકારી કર્મચારી, કોંગ્રેસ5 સાંસદોના ઘરથી નોટોના ઢગ નીકળી રહ્યા છે. ચારેય તરફ બોખલાટ નજરે પડે છે. અગાઉ એક PMએ કહ્યું હતું કે, દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું તો 15 પૈસા લોકો સુધી પહોંચે છે. પૈસા તો નીકળતા હતા, પરંતુ લોકો સુધી પહોંચતા નહોતા. જો પહેલાવાળી સમસ્યા થતી તો 27-28 લાખ કરોડ ગરીબો સુધી પહોંચતા જ નહીં.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond