ગાંધીનગરમાં મળેલો પ્લોટ PM મોદીએ દાનમાં આપ્યો, એના પર 16 માળની બિલ્ડીંગ બનશે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Wednesday, March 13, 2024

ગાંધીનગરમાં મળેલો પ્લોટ PM મોદીએ દાનમાં આપ્યો, એના પર 16 માળની બિલ્ડીંગ બનશે

 

PC: navbharattimes.indiatimes.com

PM નરેન્દ્ર મોદીએ ફરી એકવાર એક મહાન ઉદાહરણ રજૂ કર્યું છે. 2001માં CM બન્યા ત્યાર પછીથી PM નરેન્દ્ર મોદી તેમને મળેલી ગિફ્ટની હરાજી કરી રહ્યા છે અને પૈસા દીકરીઓ પાછળ ખર્ચી રહ્યા છે. ગુજરાતમાંથી દિલ્હી ગયા પછી પણ CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં આ પરંપરા જાળવી રહ્યા છે. હવે PM નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મળેલો પ્લોટ પણ દાનમાં આપી દીધો છે. PM નરેન્દ્ર મોદીના આ પ્લોટમાં નાદ બ્રહ્મા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયન મ્યુઝિકની ઈમારત બનાવવામાં આવશે. PM મોદીએ પોતાની જમીન દાનમાં આપીને ટ્રસ્ટને સોંપી દીધી છે. PM મોદી અને દિવંગત BJPના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને પ્લોટ મળ્યા હતા. આ પ્લોટ ગાંધીનગરના સેક્ટર-1માં આવેલો છે.

PM નરેન્દ્ર મોદી અને અરુણ જેટલીના આ પ્લોટમાં સંગીત ક્ષેત્રને સમર્પિત એક પ્રતિષ્ઠિત ઇમારત બનાવવામાં આવશે. આ રીતે સરકારે PM મોદી અને જેટલીને આપવામાં આવેલ પ્લોટ ટ્રસ્ટને સોંપી દીધો છે. અહીં બનાવવામાં આવનાર 'નાદ બ્રહ્મ' આર્ટ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આમાં 200 લોકોની ક્ષમતા ધરાવતું થિયેટર, બે બ્લેક બોક્સ થિયેટર, સંગીત અને નૃત્ય શીખવા માટે 12થી વધુ બહુહેતુક વર્ગખંડો, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે પાંચ પર્ફોર્મન્સ સ્ટુડિયો, એક ઓપન થિયેટરનો સમાવેશ થાય છે. CM ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત BJPના વડા CR પાટીલે પ્લોટ નંબર 401/A પર નાદ બ્રહ્મા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયન મ્યુઝિકનો શિલાન્યાસ પણ કર્યો હતો. હવે આ બિલ્ડીંગનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે.

આ પહેલનો ઉદ્દેશ્ય 16 માળનું નાદ બ્રહ્મ ભવન બનાવવાનો છે, જે ગાંધીનગરને ભારતીય સંગીત કલા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવી દેશે. કેન્દ્રમાં આઉટડોર મ્યુઝિક ગાર્ડન, આધુનિક પુસ્તકાલય અને સંગીતના ઈતિહાસને દર્શાવતું મ્યુઝિયમ પણ હશે. નજીકના ભવિષ્યમાં, 'નાદ બ્રહ્મ' આર્ટ સેન્ટર સંગીત ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે એક વિશિષ્ટ કેન્દ્ર તરીકે સેવા આપશે. વધુમાં, કેમ્પસની અંદર એક કાફેટેરિયા અને એક સરસ ભોજન રેસ્ટોરન્ટનું આયોજન કરાશે. ભારતીય સંગીત કલાનું તમામ જ્ઞાન બિલ્ડિંગમાં એક જ છત નીચે ઉપલબ્ધ થશે. મનમંદિર ફાઉન્ડેશન દ્વારા નાદ બ્રહ્મ સંસ્થાન બનાવવામાં આવશે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond