
નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મે ઉમેદવારી નોધાવી હતી. શનિવારે રાજ્યની 15 લોકાસભા બેઠકના ઉમેદવારો જાહેર કરવામા આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું. અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનીયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાથના કરુ છું.'
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત એક અઠવાડીયામાં થઈ શકે છે. સૌરાષ્ટ્રની ભાવનગર ,અમરેલી સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત થઈ નથી. જ્યારે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના અન્ય ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.
No comments:
Post a Comment