ભાજપની ગુજરાતમાં આ 4 બેઠકોનું કોકડું હજુ કેમ ગુંચવાયું છે? - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Tuesday, March 19, 2024

ભાજપની ગુજરાતમાં આ 4 બેઠકોનું કોકડું હજુ કેમ ગુંચવાયું છે?

 


ભારતના ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 17 મેના દિવસે ચૂંટણી થવાની છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે પહેલી યાદીમાં 15 અને બીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, પરંતુ હજુ 4 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થયા નથી.

ગુજરાતમાં ભાજપે જે 4 બેઠકોના ઉમેદવારો હજુ જાહેર નથી કર્યા તેમાં મહેસાણા, અમરેલી,સુરેન્દ્રનગર અને જુનાગઢની સીટ છે. મહેસાણમાં વર્ષ 2019માં શારદાબેન પટેલ 2.81 લાખથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેમણે ઘણા સમય પહેલાં જ કહી દીધું હતું કે, પોતે ચૂંટણી લડવા માંગતી નથી. મહેસાણા બેઠક પર નીતિન પટેલે પણ નામ ખેચીં લીધું છે.

અમરેલીમાં વર્ષ 2019માં નારણ કાછડીયા 2 લાખ મતથી જીત્યા હતા, સુરેન્દ્રનગરમાં ડો. મહેન્દ્ર મુંજપરા 2.65 લાખ મતથી જીત્યા હતા જ્યારે જુનાગઢમાં રાજેશ ચુડાસમાં દોઢ લાખ મતથી જીત્યા હતા.

જાણવા મળેલી વિગત મુજબ ભાજપ આ ચારેય બેઠકો પર નવા ઉમેદવારો ઉતારે તેવી સંભાવના છે, એવા સંજોગોમાં જાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને કોઇ વિવાદ ન ઉભો થાય એટલે નામ જાહેર કરવામાં મોડું થઇ રહ્યં છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond