ડેડિયાપાડા ના મોઝદા ખાતે વન અધિકાર બાબતે માર્ગદર્શન બેઠક માં સાંસદ મનસુખ વસાવા એ કહ્યું ચૂંટણીમા ચૈતરને ચિત્ત કરી દઇશ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Friday, November 10, 2023

ડેડિયાપાડા ના મોઝદા ખાતે વન અધિકાર બાબતે માર્ગદર્શન બેઠક માં સાંસદ મનસુખ વસાવા એ કહ્યું ચૂંટણીમા ચૈતરને ચિત્ત કરી દઇશ

 


આજે ડેડિયાપાડા ના મોઝદા ખાતે વન અધિકાર બાબતે માર્ગદર્શન બેઠક માં ઉપસ્થિત રહી સૌને અનેક બાબતે વક્તવ્ય આપ્યું. આ બેઠકમાં  સાંસદ મનસુખ વસાવા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા, તાલુકા સંગઠન મંત્રી ઇશ્વરભાઈ વસાવા, ભાજપા તાલુકા પ્રમુખ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શંકરભાઈ વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન ખાનસિંગ ભાઈ વસાવા, જિલ્લા પંચાતના ના સભ્ય હિતેશભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી રમેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય સોમભાઈ વસાવા, ભાજપા અગ્રણી પ્રતાપભાઈ ભાઈ વસાવા, આ વિસ્તારના આગેવાનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા. 
 
 સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું કે વન અને આદિવાસી એ સિક્કા ની બે બાજુ છે. ભાજપાના શાસનમાં આદિવાસીઓને પોતે ખેડતા હોય અને પૂરતા પુરાવા હોય તેઓને પોતાની જમીન મળી છે. રાજ્ય સરકારના ટ્રાઈબલ વિભાગે જમીન સમથળ કરવા, બોર વગેરે સુવિધા આપી છે. 
 
જે લોકો વર્ષો થી જંગલમાં જમીન ખેડી છે અને આધાર પુરાવા છે તેઓની પેન્ડિંગ અરજીને તાત્કાલિક મંજૂરી મળે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે.
 
આપણે આદિવાસી એ વન ની રક્ષા માટે છીએ એટલે બિન જરૂરી નવી જમીન ના ખેડાય તે માટે ધ્યાન રાખવું જોઈએ. આજ કાલ આવા મુદ્દે કેટલાક લોકો ગેર સમજ ફેલાવી કાયદો હાથમાં લે છે અને ભાજપા પર આરોપ પર મૂકે છે ત્યારે આપણે આવી ગેર સમજ અને ઉશ્કેરણી થી દુર રહેવું જોઈએ.
May be an image of 3 people and temple

 

ગુજરાતમાં અત્યારે કોઈ ચૂંટણી નથી, પરંતુ પૂર્વમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા અહમદ પટેલના મતવિસ્તાર રહેલા ભરૂચમાં હાઈવોલ્ટેજ રાજકારણ જોવા મળી રહ્યું છે. 6 વખતથી જીતી રહેલા આદિવાસી નેતા મનસુખભાઇ વસાવાએ હુંકાર ભરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી (AAP) તેમની સામે કંઇ નથી. જો કોઈ ટક્કર આપી શકે છે તો તે અહમદ પટેલની દીકરી મુમતાજ છે. તેઓ એક સંસ્કારી પરિવાર આવે છે. તેમના પિતા અહમદ પટેલે ભરૂચના વિકાસ માટે ઘણા કામ કર્યા છે. તેનું સંજ્ઞાન દેશના લોકો પણ લેતા હતા.

ભાજપના સાંસદના નિવેદન બાદ ફરીથી ભરૂચમાં દિવાળીના અવસર પર રાજકારણ ગરમ થઈ ગયું છે. મુમતાજન સમર્થક કોંગ્રેસ નેતા નદીમ પટેલે કહ્યું કે, ભરૂચની સેવા માટે મુમતાજ તૈયાર છે. તે 2024માં આવી રહ્યા છે. ભરૂચ લોકસભા સીટને ભાજપની હિન્દુત્વની પ્રયોગશાળા માનવામાં આવે છે. અહીથી ભાજપના નેતા ચંદુભાઈ દેશમુખે અહમદ પટેલને હરાવીને સનસની ફેલાવી દીધી હતી. ત્યારબાદ ક્યારેય આ સીટ પર કોંગ્રેસની જીત થઈ નથી. અહમદ પટેલ રાજ્યસભાથી સંસદ પહોંચતા રહ્યા.

તેમણે આ સીટ કોંગ્રેસના ખોળામાં નાખવાના ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ સફળ ન થઈ શક્યા. 6 વખતથી અહી ભાજપનો પરચમને લહેરાવી રહેલા મનસુખભાઇ વસાવા બાબતે કહેવામાં આવે છે કે ‘મનસુખ માનતો રાજકારણ (રાજનીતિ) જાણતો નથી, પરંતુ એવામાં જ્યારે આમ આદમી પાર્ટીના ઊભરતા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા FIR નોંધાયા બાદ ભૂગર્ભમાં છે ત્યારે મનસુખ વસાવાએ મુમતાજને સારા ઉમેદવાર કરાર આપ્યો છે.

ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દાવેદારી ઠોકી રહ્યા હતા, પરંતુ હાલમાં જ વન વિભાગના કર્મચારીઓને ધમકાવ્યા બાદ FIR નોંધાયા બાદ ચૈતર વસાવા કાયદાકીય દાવપેંચમાં ફસાઈ ગયા છે. તેમની પત્ની સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. ધારાસભ્યની પોલીસ તપાસ કરી રહી છે. એવામાં મનસુખે હુંકાર કરતા કહ્યું કે, ચૈતર જો રેસમાં આવે છે તો હાલત ખરાબ કરી દઇશ, મને જો કોઈ પડકાર આપી શકે છે તો તે અહમદભાઈની દીકરી મુમતાજ આપી શકે છે.

તેઓ એક સંસ્કારી પરિવારમાંથી આવે છે. ભાજપ સાંસદે ભલે અહમદ પટેલની દીકરીના વખાણ કર્યા, પરંતુ ગુજરાત ભાજપના બીજા નેતા વખાણ કરતા બચતા રહ્યા છે. ભાજપના હાલના સાંસદ ભલે ફરીથી લડવા માટે તાલ ઠોકી રહ્યા છે, પરંતુ ચર્ચા એવી પણ છે કે અહી પાર્ટી કોઈ નવા ચહેરાને ઉતારી શકે છે. તેમાં ચંદુભાઈ દેશમુખની દીકરી ડૉ. દર્શન દેશમુખ અને ઝઘડિયાથી કદાવર નેતા છોટુભાઈ વસાવાને હરાવનારા રિતેશ વસાવાનું નામ પણ ચર્ચામાં છે.

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond