વાઘાણીના શહેરમાં શાળાની મુલાકાતે પહોંચ્યા સિસોદિયા, શાળાની સ્થિતિ પર બોલ્યા... - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Tuesday, April 12, 2022

વાઘાણીના શહેરમાં શાળાની મુલાકાતે પહોંચ્યા સિસોદિયા, શાળાની સ્થિતિ પર બોલ્યા...

 

આજે દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતની સરકારી શાળાની મુલાકાતે આવ્યા હતા. જીતુ વાઘાણીના શિક્ષણના સ્તર અંગેના નિવેદન બાદ મનિષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે, તેઓ સોમવારે ગુજરાતની સરકારી શાળાની મુલાકાત લેવા આવશે અને આજે તેઓ ભાવનગર ખાતે જીતુ વાઘાણીના જ મત વિસ્તારની સરકારી શાળાની મુલાકાત લેવા આવી ગયા હતા.

સરકારી શાળાની મુલાકાત બાદ મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીએ એવું જણાવ્યું હતું કે, અમે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા એટલી સારી બનાવી દીધી છે. તમે અહીંયા ગુજરાતમાં ભણો અને જેમને ગુજરાતમાં ન ભણવું હોય તે બીજે ચાલ્યા જાવ. તેમનું આ નિવેદન થોડું અલગ લાગ્યું એટલે મને પણ એમ થયું કે, 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે. એટલે ત્યાં જઈને પણ જોઈએ કે ભાજપે શું કર્યું. એટલા માટે હું આવ્યો છું શિક્ષણ મંત્રીજીના વિધાનસભાના વિસ્તારમાં અને મને એવું હતું કે શિક્ષણ મંત્રીએ તેમના વિસ્તારમાં શાળાઓ છે તેમાં બદલાવ કરી દીધો હશે કે, તેમના મત વિસ્તારના લોકોને મુશ્કેલી ન પડે.

તેમણે કહ્યુ કે, હું અહીંયા આવ્યો અને મેં જોયું તો શિક્ષણ મંત્રીના મત વિસ્તારની શાળાઓ નાની છે અને શાળાની દીવાલો પણ તૂટેલી છે. તેમને ખબર હતી કે હું શાળાની મુલાકાતે આવવાનો છું એટલે તેમણે સ્કૂલમાં સાફસફાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ હજુ પણ દીવાલ પર કરોળિયાના ઝાળા જોવા મળી રહ્યા છે. તૂટેલી દીવાલો વચ્ચેનો પાછળનો હોલ મધ્યાહ્નન ભોજનનો હોલ છે.

મનિષ સિસોદિયાએ કહ્યું કે, ખુલ્લા મેદાનમાં કલાસ ચાલી રહ્યા છે. શાળાની અંદર પણ કલાસ ચાલી રહી છે. ખાલી શાળાની બહાર એક સ્માર્ટ બોર્ડ લટકાવી દો તો શું શાળા સારી થઈ ગઈ? શાળામાં તૂટેલી દીવાલો અને જ્યારે કલાસરૂમમાં ગયો ત્યારે જોવા મળ્યું કે બાળકોની પાસે બેસવા માટે લાદી પણ નથી. આ ઉપરાંત હું આવવાનો હતો એટલે કરોળિયાની ઝાળ સાફ કરવાના પ્રયાસ થયા પણ તે બરાબર સફાઈ થઈ શકી નહીં. શાળામાં 4 સ્માર્ટ બોર્ડ લટકાવી દીધા છે અને તેઓ કહે છે કે અમારી શિક્ષણ વ્યવસ્થા બરાબર થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે, આ ગુજરાત ગાંધી અને સરદાર પટેલની ધરતી છે. તેમને શિક્ષણ માટે કામ કર્યું છે. હવે તંત્ર કંઈ શીખે અને સમજી લે હજી પણ પાંચ મહિનાનો સમય છે ચૂંટણીમાં. નહીં તો જનતા એવી સરકાર લાવશે કે જે શાળાઓ સારી બનાવશે.

SOURCE:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond